મનોરંજન જગત્માંથહી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે. કેટલાક કલાકારો કોઈ બીમારીના કારણે અથવા તો હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યા છે તો ઘણા કલાકારોએ આપઘાત કરીને પણ પિતાનું જીવન ટૂંકાવી લીધું છે. હાલ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. લોકપ્રિય કન્નડ અભિનેતા સંપત જે. રામે 35 વર્ષની ઉંમરે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે 22 એપ્રિલના રોજ નેલમંગલા સ્થિત પોતાના ઘરે આપઘાત કર્યો હતો. તેમના નિધનના સમાચારે સમગ્ર કન્નડમાં શોક છવાયો છે અને સમગ્ર કન્નડ ફિલ્મ ઉદ્યોગ આ ક્ષણે આઘાતની સ્થિતિમાં છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પૂરતું કામ ન મળવાને કારણે સંપત જે. રામે આ કડક પગલું ભર્યું હશે. જો કે તેના પરિવાર કે મિત્રો તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પાર્થિવ દેહને નેલમંગલાની એક ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, તેને ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર માટે તેમના વતન એનઆર પુરા ખસેડવામાં આવશે. અગ્નિસાક્ષીમાં સંપતના કો-સ્ટાર વિજય સૂર્યાએ ETimes ને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સંપત એક અભિનેતા તરીકે સારી ઑફર્સની રાહ જોઈ રહ્યો હતો.
તેની સાથે કામ કરનાર અન્ય એક અભિનેતા રાજેશ ધ્રુવે પણ સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાની વ્યથા વ્યક્ત કરી અને કન્નડ પોસ્ટ દ્વારા પોતાની વાત લોકો સમક્ષ મૂકી. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, આટલી બધી ફિલ્મો… હજુ ઘણો સંઘર્ષ બાકી છે. તમારા સપનાને સાકાર કરવા માટે હજુ પણ સમય છે. તમારી આશ્ચર્યજનક સ્થિતિમાં હજી ઘણું જોવાનું બાકી છે. પ્લીઝ પાછા આવો.”