કયારેક અજય જાડેજા તો ક્યારેક સંજય દત્ત સાથે અફેરમાં નામ જોડાયું માધુરીનું, આ કારણે તૂટ્યો હતો સંબંધ
સૌથી સંસ્કારી અભિનેત્રી માધુરી દીક્ષિતના લફરાંનું ખુલ્યું રહસ્ય
90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ અને ધક ધક ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત તેની એક્ટિંગની સાથે-સાથે તેની ડાન્સિંગ સ્કિલ્સ માટે પણ જાણીતી છે. માધુરી આજે પણ તેની અદાઓ અને સ્માઈલને દિલમાં રાજ કરે છે. આજે માધુરી દીક્ષિત તેનો 53મોં જન્મ દિવસ મનાવી રહી છે.
વર્ષ 1984માં ફિલ્મ અબોધ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર માધુરીનો જન્મ 15 મેં 1967ના મુંબઈમાં થયો હતો. આજે અમે તમને એના બર્થડેના દિવસે જણાવીશું જાણી-અજાણી વાતો.
જણાવી દઈએ કે, માધુરી દિક્ષીતનું નામ સંજયદત્ત સાથે પણ જોડાયું હતું. પરંતુ 1993માં બ્લાસ્ટ કેસમાં સંજય દત્તના નામનો ખુલાસો થતા તેને આ સંબંધનો અંત લાવી દીધો હતો.
એક સમયમાં માધુરી ભારતીય પૂર્વ ક્રિકેટર અજય જાડેજા સાથે પણ જોડાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને લગ્ન કેવા પણ માંગતા હતા. અજય જાડેજા અને માધુરી દિક્ષીતની મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઇ હતી. તે સમયે બંને વચ્ચે સારું ટ્યુનીંગ પણ હતું. માધુરીને પહેલી નજરમાં અજય સાથે પ્રેમ થઇ ગયો હતો. ખબર તો એવી પણ આવી હતી માધુરીએ અજય સાથે તેના પ્રેમનો ઈઝહાર કરી દીધો હતો.
તો અજયને પણ માધુરી પસંદ હોય બને વહચે પ્રેમપ્રકરણની શરૂઆત થઇ હતી. માધુરી અને અજય ઘણી વાર સાથે જોવા મળતા હતા. એક રિપોર્ટ્સ અનુસાર, અજએ જયારે માધુરી દીક્ષિત પર ધ્યાન લગાવવાનું શરૂ કર્યું તુઅતે તેની ક્રિકેટ કરિયર પર પણ ફર્ક પડતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, માધુરી દીક્ષિત તે સમયે અજયને બોલીવુડમાં પણ હાથ અજમાવવાનો પ્રયત્ન કરતી હતી.
પરંતુ તે સમયે અજય જાડેજાનું નામ મેચ ફિક્સિંગમાં આવી ગયું હતું. આ બાદ તેને અજયથી દૂર થવાનું ચાલુ કરી દીધું હતું. માધુરી ઇચ્છતી નહોતી કે તેનું નામ બિનજરૂરી રીતે વિવાદમાં ખેંચાય. તે જ સમયે, એવા અહેવાલો આવ્યા હતા કે અજયનો પરિવાર મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ નિભાવવા માંગતો નથી.
આવી સ્થિતિમાં માધુરીએ અજયથી પોતાને દૂર કરવામાં સમય લાગ્યો ના હતો. અજયનો પરિવાર પણ માધુરી સાથેના સંબંધને લઈને ખુશ ના હતો. 1999માં અજય જાડેજાનું નામ મેચ ફિક્સિંગમાં આવતા તેનો અને માધુરીના સંબંધનો અંત આવ્યો હતો. આ બાદ માધુરીએ શ્રીરામ નેની સાથે લગ્ન કરી લીધા હતા.