કરીનાના બીજા બાળકનું નામ 'જહાંગીર' નામ રાખ્યો તો ટ્રોલ થઇ, હવે ભડકી ગઈ બેબો કરીના જુઓ શું કહ્યું - Chel Chabilo Gujrati

કરીનાના બીજા બાળકનું નામ ‘જહાંગીર’ નામ રાખ્યો તો ટ્રોલ થઇ, હવે ભડકી ગઈ બેબો કરીના જુઓ શું કહ્યું

જહાંગીર નામ રાખ્યું તો ફેન્સે અપશબ્દો કહ્યા, તો કરીનાને પેટમાં દુખ્યું…હવે કરીનાએ મેદાનમાં આવીને કહ્યું કે…

કરીના કપૂરે આમ જોઈએ તો પહેલા બાળકના નામ તૈમૂર નામ પર ગંદી રીતે  ટ્રોલ થઈ ચૂકી છે ત્યારે હવે તે તેના નાના દિકરા જેહના નામને લઈને પણ ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. લગભગ એકાદ મંથ પહેલાં કરીના અને સૈફે નાના દિકરા જેહના નામની ઘોષણા કરી હતી, પણ હવે એક્ટ્રેસની પ્રેગ્નેન્સી બુક કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઈબલમાં તેના નાના દિકરાનું અલગ જ નામ સામે આવ્યું છે.

બોલીવુડની બેબો અને પટૌડી ખાનદાનની વહુ બેગમ કરીના કપૂર ખાન હાલ વિવાદોમાં ઘેરાયેલી છે. તેને હાલમાં જ પોતાનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું છે. આ પુસ્તકનું ટાઇટલ પણ વિવાદોમાં રહ્યું અને હવે આ પુસ્તકની અંદર આવેલી કેટલીક બાબતો પણ વિવાદમાં આવવા લાગી છે.

જેમાંથી એક મોટા વિવાદનું કારણ કરીના કપૂરના બીજા દીકરાનું નામ બન્યું છે. કરીના કપૂરે પોતાના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. હવે જહાંગીર નામને લઈને લોકો તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે. ત્યારે આ બાબતે ચૂપ રહેલી કરીના કપૂરે હવે પોતાની ચુપ્પી તોડી છે અને પહેલીવાર સામે આવી છે.

કરીના કપૂર ખાને ઇન્ડિયા ટુડે સાથે વાત ચિત્તમાં દીકરા જહાંગીર નામ ઉપર ફેલાઈ રહેલી નેગેટીવી ઉપર પ્રતિક્રિયા આપી છે. કરીના કહે છે કે, “હું એક ખુબ જ સકારાત્મક માણસ છું. હું બહુ જ ખુશ છું. કોરોના જેવા કઠિન સમયમાં હું લોકોમાં ખુશી અને પોઝીટીવીટી ફેલાવવા માંગુ છું. હું કોઈપણ પ્રકારના ટ્રોલ અને નેગેટિવિટી વિશે નથી વિચારી શકતી. હવે મારી પાસે મેડિટેશન ઉપરાંત કોઈ બીજો રસ્તો નથી.”

કરીનાએ આગળ જણાવ્યું કે, “એ પણ એટલા માટે કારણ કે મને દીવાલની તરફ ધકેલવામાં આવી રહી છે. પરંતુ હું હજુ પણ ઠીક છું. હું મેડિટેશન કરતી રહીશ. દરેક સિક્કાના બે ભાગ હોય છે. જો હકારાત્મકતા છે તો નકારાત્મકતા પણ હશે. કદાચ એવું ના હોતું.

કારણ કે જેમની આપણે વાત કરી રહ્યા છે તે બે માસુમ બાળકો છે. જેમને આના વિશે કંઈજ ખબર નથી. પરંતુ અમે ખુશ અને સકારાત્મક રહીશું.” તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કરીના અને સૈફનાં પહેલા દીકરાના નામને લઈને પણ વિવાદ જન્યો હતો.

ત્યારે પણ સોશિયલ મીડિયામાં તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ત્યારે બીજા દીકરાના જન્મને ઘણો  લાંબો સમય થયો હોવા છતાં પણ તેની કોઈ તસ્વીર કે તેના નામની જાહેરાત નહોતી કરી. પરંતુ તેના પુસ્તક દ્વારા તેના બીજા દીકરાનું નામ જહાંગીર સામે આવ્યું. હજુ સુધી તેની તસ્વીર સામે નથી આવી.

કરીનાએ થોડાક સમય પહેલા એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, હું પોઝિટિવ પર્સન છું. હું બહુ જ બાળકની હેપ્પી છું. આવા ખરાબ કોરોનના કાળમાં લોકોમાં ખુશી અને પોઝિટિવિટી ફેલાવવા માંગુ છું. હું ટ્રોલ અને નેગેટિવિટી વિશે વિચારતી નથી. હવે મારી પાસે મેડિટેશન સિવાય કોઈ રસ્તો નથી.

વધુમાં જણાવ્યું કે આનું કારણ એ પણ છે કે મને દિવાલ સામે ધકેલવામાં આવી રહી છે. પરંતુ હું હજુ પણ ઠીક છું. હું મેડિટેશન કરતી રહીશ. દરેક સિક્કાની બે બાજુ હોય છે. જો સકારાત્મકતા હશે તો નકારાત્મકતા પણ હશે. મારે તેને આ રીતે જ જોવું પડશે. કાશ એવું ન હોત. કારણ કે આપણે જેની વાત કરી રહ્યાં છીએ તે બે માસૂમ બાળકો છે. જે આ વિશે કંઈ જાણતા નથી. પરંતુ, આપણે ખુશ અને સકારાત્મક રહીશું.

admins

disabled