જાયરા વસીમથી મમતા કુલકર્ણી સુધી ગ્લેમરસ લાઈફને છોડીને આધ્યાત્મિક થઇ ગઈ છે આ 5 એક્ટ્રેસ - Chel Chabilo Gujrati

જાયરા વસીમથી મમતા કુલકર્ણી સુધી ગ્લેમરસ લાઈફને છોડીને આધ્યાત્મિક થઇ ગઈ છે આ 5 એક્ટ્રેસ

બોલીવુડની ભભકાદાર જિંદગી છોડીને સંસ્કારી માર્ગે ચડી ગઈ આ 5 સુંદરીઓ

બોલીવુડની દુનિયાની વાત કરવામાં આવે તો અહીં કામ કરનારા તમામ કલાકારો દેશ-વિદેશમાંથી આવે છે. બૉલીવુડના સિતારાઓના બેકગ્રાઉન્ડ વિષે જાણવામાં આવે તો તે અલગ-અલગ રસ્તા પરથી અહીં આવ્યા છે. આ સીતારાઓમાં બોલીવુડની ઘણી એવી પણ હસીનાઓ છે જે કરિયર છોડીને આધ્યાત્મિક થઇ ગઈ છે. આવો જાણીએ એ 5 એક્ટ્રેસ વિષે.

1.સના ખાન

બિગ બોસથી નામ કમાનાર બોલિવૂડ અભિનેત્રી સના ખાને ગોવા, હલ્લા બોલ, જય હો જેવી તમામ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ આ ફિલ્મોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે, તે કેટલીક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ જોવા મળી છે, ત્યારબાદ અચાનક એવા સમાચાર આવ્યા કે તેણે કાયમ માટે બોલિવૂડની ચમકતી દુનિયાને અલવિદા કહી દીધું છે. સના ખાને નક્કી કર્યું છે કે હવે તે ભગવાનના માર્ગે ચાલશે અને માનવતા માટે કામ કરશે.

2.જાયરા વાસીમ

જાયરા વસીમને આપણે દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોથી જાણીએ છીએ જેમાં તેણે ત્રણ ખાન પૈકી એક આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મોમાં તેણે બાળ કલાકારોની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમની અભિનય કુશળતાથી તેણે લોકોનું દિલ જીતી લીધું હતું.2019 માં કંઈક એવું બન્યું કે, જાયરા વસીમે ફિલ્મ ઉદ્યોગ છોડી દેવાનું નક્કી કર્યું. આ નિર્ણયને લીધે દરેક વ્યક્તિ ચોંકી ઉઠ્યો હતો. કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય માટે કટ્ટરપંથી સંસ્થા જવાબદાર છે. જોકે, જાયરાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. આ સાથે જ જવાબમાં તેણે કહ્યું કે તેને આ વ્યવસાયથી આનંદ નથી મળી રહ્યો અને આ વ્યવસાય તેના ધર્મના પાલન કરવામાં અવરોધો લાવી રહ્યો છે.

3.મમતા કુલકર્ણી

જ્યારે પણ મમતા કુલકર્ણીનું નામ આપણા મગજમાં આવે છે ત્યારે આશિક આવારા (1993), વક્ત હમારા હૈ (1993), ક્રાંતિવીર (1994), કરણ અર્જુન (1995) જેવી ફિલ્મ્સના સીન ચાલવા લાગે છે, જેમાં તે બહેતરીન એક્ટિંગથી લોકોને દીવાના બનાવી દીધા હતા. મમતા કુલકર્ણીએ સફળ કારકિર્દી મેળવી હતી, પરંતુ મમતાએ બોલીવુડ સાથેના સંબંધોને સમાપ્ત કરીને આધ્યાત્મિકતા સ્વીકારવાનું નક્કી કર્યું હતું. 2013 માં પ્રકાશિત થયેલી તેની ઓટોગાયોગ્રાફી ઓફ આ યોગીનીમાં તેને બોલિવૂડનો ત્યાગ કરવા અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવવાનાં કારણો આપ્યા હતા.

4.સોફિયા હયાત

મલ્ટિ-ટેલેન્ટેડ સોફિયા એક ગાયક, અભિનેત્રી અને લોકપ્રિય ટીવી પર્સનાલિટી હતી. તાજેતરમાં જ તેણે સુશાંત સિંહ રાજપૂત માટે અવાજ ઉઠાવ્યો હતો અને બિગ બોસનો બહિષ્કાર કરવાનું સૂત્ર પણ આપ્યું હતું. જોકે તે પોતે બિગ બોસ સીઝન 7 ની સ્પર્ધક રહી ચૂકી છે. રિલેશનશિપમાં દગો થવાને કારણે તેણે સાધ્વી બનવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે પોતાનું નામ પણ બદલ્યું હતું. આધ્યાત્મિકતા અપનાવીને તે સોફિયા હયાતની બદલે Gaia Sofia Mother બની છે.

5.અનુ અગ્રવાલ

અનુની ફીચર ફિલ્મ ‘આશિકી’તો બધાએ જોઈ જ હશે. આ ફિલ્મમાં તેના રોલની ઘણી તારીફ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તે આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહી હતી. તેનો આત્મવિશ્વાસ જોઈને લાગતું હતું કે, ટ્રે બોલીવુડમાં કામ કમાશે પરંતુ સમયને આ મંજુર ના હતું. ધીમે-ધીમે અનુ અસફળ થવા લાગી હતી. આ અસફળતાનું કારણ તેની પસંદ કરેલી ગંદી સ્ક્રીપટ હતી. તેની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો જે તેને હંમેશા માટે બોલીવુડને ટાટા- બાય-બાય કહી દીધું હતું. આ બાદ તે યોગા કરવા લાગી હતી. કહેવામાં આવે છે કે, 1996માં તેને બૉલીવુડ છોડી દીધું હતું. આ બાદ તે ગરીબ બાળકોને યોગ શીખવવા લાગી હતી.

divyansh

disabled