સોશિયલ મીડિયામાં રોજ ઢગલાબંધ વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણી સાચી ઘટનાઓ હોય છે તો ઘણીવાર ખોટી અફવાઓ પણ ફેલાતી હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ગુજરાતમાં મોટી નામના બનાવી ચૂકેલા કોઠારીયાના કમાનો એક વીડિયો વાયરલ થયો છે અને સાથે જ લખવામાં આવ્યું છે કે કમાભાઈએ લગ્ન કરી લીધા છે.
ઘણા લોકો પણ આ વીડિયો પાછળની સાચી હકીકત જાણ્યા વિના જ તેને ધડાધડ વાયરલ કરી રહ્યા છે, પરંતુ હવે આ વાયરલ વીડિયો પાછળની હકીકત સામે આવતા જ વીડિયોને શેર કરનારા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કમાએ શેરવાની પહેરી છે અને ગળામાં હાર પણ પહેર્યો છે, સાથે જ તેની બાજુમાં ચણીયા ચોળીમાં સજ્જ ગાયિકા અલવીરા મીર પણ હાર પહેરીને ઉભા છે.
આ વીડિયો કોઈ હોલની બહારનો હોય તેવું લાગ્યું હતું અને ત્યારે ઢોલ નગારા પણ જોર શોરથી વાગી રહ્યા હતા અને કમો નાચતો પણ જોવા મળ્યો હતો. ત્યારે આ વીડિયોને વાયરલ કરીને કેટલાક લોકોએ કમાના લગ્ન થઇ ગયા હોવાનું જણાવ્યું હતું, જેના બાદ ગાયિકા અલવીરા મીરે પોતાના વીડિયોમાં આ વીડિયોની સાચી હકીકત જણાવી હતી અને વાયરલ કરનારને ફટકાર પણ લગાવી હતી.
અલવીરા મીરે જણાવ્યું હતું કે “હું તમને એ જણાવવા માગું છું કે હમણાં વચ્ચે અમદાવાદમાં મારો એક શો હતો જેના ઓપનિંગમાં હું અને આપણા કોઠારીયાના કમાભાઈ અમે બંને મહેમાન તરીકે હતા. ત્યારે એન્ટ્રીમાં અમારા બંનેનું સ્વાગત કર્યું હતું હાર પહેરાવીને એ ફોટો અને વીડિયો કેટલાક વિકૃત માણસોએ જે આપણી ઊંચાઈ જોઈ ના શકતા હોય અને બદનામ કરવા માટે યુટ્યુબમાં લખીને શેર કરે છે કે “જુઓ કમાભાઈના લગ્ન થઇ ગયા.”
View this post on Instagram
આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે, ” “માણસ સસ્તા વ્યુવ માટે કેટલી હદ સુધી જઈ શકે એ તો આપણે જોઈએ છીએ પરંતુ આ તો એક હદ પર કહેવાય, તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે આ વીડિયોને જુઓ તો આગળ શેર ના કરતા, અને જે પણ આઈડીથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે તેને રિપોર્ટ કરો, અને જે પણ વ્યક્તિએ આ રીતે વીડિયો શેર કર્યો છે જેના વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરવાનું છું. તો આવી ખોટી વાતમાં કોઈ ભાગ લેવો નહિ તેવી મારી વિનંતી છે.”
View this post on Instagram
અલિવીરા મીર દ્વારા વધુ એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે અને તેમને જેને પણ આ વીડિયો શેર કર્યો છે તેને 24 કલાકમાં ડીલીટ કરી દેવાનું પણ જણાવ્યું છે, અને જો આમ નહિ કરવામાં આવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહ્યું છે. આ સાથે જ જો ડીલીટ નહિ કરે તો તેમને કોઈ માફી પણ નહિ મળે અને તેમના વિરુદ્ધ સખ્ત પગલાં લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.