ઘરમાંથી દાન કરો આ 5 વસ્તુ, માં લક્ષ્મી ખુશ થઈને વરસાવશે અનેક ગણું ધન - Chel Chabilo Gujrati

ઘરમાંથી દાન કરો આ 5 વસ્તુ, માં લક્ષ્મી ખુશ થઈને વરસાવશે અનેક ગણું ધન

શાસ્ત્રોમાં દાન-પુણ્યનું ખુબ મહત્વ માનવામાં આવ્યું છે. જો  તમે દાન કરશો તો ભગવાનને પણ તમારી મદદ કરવા ચોક્કસ આવવું પડે છે. જો કે લોકો દાન તો ઘણી બધી વસ્તુઓનું  કરતા હોય છે પણ એવામાં આ પાંચ ખાસ વસ્તુઓનું દાન કરવું ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે.

આ પાંચ વસ્તુ પીળા વસ્ત્રો, પીતળ કે પછી તાંબાની બનેલી વસ્તુ, પૈસા, નારિયેળ તેલ અને પ્રાણીઓ માટે ભોજન છે. આ પાંચ વસ્તુઓનું દાન કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે અને કહેવામાં આવે છે કે આ વસ્તુ દાન કરવાથી લોકોના જીવનમાં ક્યારેય પણ કષ્ટ કે દુઃખ નથી આવતું.

જો વ્યક્તિ પીળા વસ્ત્રોનું દાન કરે તો તેઓને હંમેશા માં લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે અને તેનો આશીર્વાદ મેળવે છે. આ સિવાય જે પીતળ કે તાંબાની વસ્તુ કે નારિયેળ તેલનું દાન કરે છે તેઓના ઘરમાંથી રોગોનો હંમેશા નાશ થઇ જાય છે અને તંદુરસ્તી આવે છે.

જે વ્યક્તિ પૈસા કે સિક્કાનું દાન કરે છે તો તેના જીવનમાંથી આર્થિક તંગી હંમેશા માટે દૂર થઇ જાય છે અને જે લોકો પ્રાણીઓને ભોજન કરાવે છે તેઓના ઘરમાં આવનારા દરેક વિઘ્ન અને અશુભ કાળ દૂર થઇ જાય છે.

yc.naresh

disabled