હાલના સમયમાં રોજ બરોજ ચોરી-લૂંટફાટ, હત્યા, બળાત્કાર વગેરેના કિસ્સાઓ સાંભળવા મળે છે. એવામાં મધ્યપ્રદેશના છીંદવાડામાંથી ખુબ જ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે, જ્યા મોતનું કારણ હત્યા નહીં પણ શારીરિક સંબંધ હતો. મામલાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, અને મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું.
મળેલી જાણકારીના આધારે છીંદવાડાના રહેનારા એક પતિ પત્નીના લગ્નની વર્ષગાંઠ હતી. વર્ષગાંઠની ઉજવણી પતિ કંઈક અલગ રીતે કરવા માંગતો હતો. માટે ઘટનાની રાતે પહેલા તો બંનેએ ખુબ દારૂ પીધો જેના પછી પતિ-પત્નીએ શરીર સંબંધ બાંધ્યા હતા, પણ આરોપ છે કે આ સમયે પતિએ પત્ની સાથે અનનેચરલ શરીર સબંધ બાંધ્યા હતા જેના પછી પત્નીની તબિયત ખરાબ થઇ ગઈ હતી અને તે તરત જ બેભાન થઇ ગઈ હતી.
પત્નીને બેહોશીની હાલતમાં જોઈને પતિ ગભરાઈને ત્યાંથી ફરાર થઇ ગયો હતો, જેના અમુક સમય પછી મહિલાની મોત થઇ ગઈ હતી.જેના પછી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને જાંચ શરૂ કરી હતી અને મહિલાના મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું કે મહિલાના ગુપ્તાંગમાં ગંભીર ઇજા થવાને લીધે ખુબ જ રક્તસ્ત્રાવ થયો હતો અને હાઇપોવોલેમિક શૉકને લીધે મહિલાની મોત થઇ ગઈ હતી. જેના પછી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને આગળની જાંચ ચાલી રહી છે.