ઓમ શાંતિ કેજો નઈ તો પાપ લાગશે, પરિણીતા સપના નકુમે કરી આત્મહત્યા, જુઓ તસવીરો
ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ તો કેટલીકવાર આર્થિક તંગી સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલ હરીકૃષ્ણ એપાર્ટમેન્ટમાંથી આપઘાતના સમાચાર સામે આવ્યા છે.
અહીં પહેલા માળે રહેતી 25 વર્ષિય સપનાએ પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ પોલિસને કરાતા ગાંધીગ્રામ પોલીસ પણ તરત દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે મૃતક સપના સાથે રહેતાં તેના ભાઈએ જણાવ્યું કે બહેનના ચાર વર્ષ પહેલા કેવલ નામના યુવક સાથે લગ્ન થયા હતાં
અને તેનો પતિ ક્ધટ્રકશન કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો અને તેનું કામ હાલ મધ્યપ્રદેશમાં ચાલુ છે જેને કારણે તે મધ્યપ્રદેશ હતો. મૃતકનો બહેન હાલ મેટોડાની કંપનીમાં નોકરી કરતો હોવાને કારણે તે બહેન સાથે રહેતો.
ત્યારે તે સાંજે મિત્ર સાથે જમવા માટે બહાર ગયો હતો અને તેની બહેનને તેણે ત્યાંથી 20 ફોન કર્યા પણ જવાબ ન આપતા તે તાત્કાલિક ઘરે દોડી ગયો અને આ દરમિયાન તેણે જોયુ તો તેની બહેન લટકેલી હાલતમાં જોવા મળી.
જોકે, તેના આક્રંદથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ઘટના અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. ત્યારે હાલમાં પોલિસે જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. હાલ તો આપઘાતનું કારણ અકબંધ છે.