નડિયાદમાં લવ જેહાદનો ભોગ બનેલી યુવતિએ કહ્યુ- માસિક ધર્મ દરમિયાન પણ ઘપાઘપ કરતો અને - Chel Chabilo Gujrati

નડિયાદમાં લવ જેહાદનો ભોગ બનેલી યુવતિએ કહ્યુ- માસિક ધર્મ દરમિયાન પણ ઘપાઘપ કરતો અને

ગુજરાતના નડિયાદમાંથી હાલમાં જ લવ જેહાદનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક યુવતિને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. તેણે યુવતિને કહ્યુ કે, તે તેના માતા-પિતાને કહે કે તેને પોલેન્ડ નોકરી માટે જવાનું છે અને આવું કહી તે 5 લાખ રૂપિયા લઇ આવે અને એ પછી તે બંને દુબઇ જઇ લગ્ન કરી લેશે. ત્યારે પ્રેમમાં અંધ બનેલી યુવતિએ તેના માતા-પિતા પાસેથી રૂપિયા લીધા હતા અને તે બાદ આ વિધર્મી યુવકે યુવતિને એકલી દુબઇ મોકલી અને ત્યાં એવી હોટલમાં ઉતારો આપ્યો જ્યાં દેહવેપારનો ધંધો ચાલે છે ત્યારે ત્યાં એક ભારતીય વેઇટરે તેને તરત જ ત્યાંથી નીકળી જવાનું કહ્યુ જે બાદ યુવતિ 10-15 દિવસ ત્યાં ભટકતી રહી અને પછી યુવક યાસર પઠાણને કહ્યુ કે તે ગમે તેમ કરીને ત્યાંથી તેને પરત લાવે, જે બાદ યાસરે ટિકિટ મોકલી તેને પરત ભારત બોલાવી.

જે બાદ તેને એક મકાનમાં ગોંધી રાખી તેના સાથે 4 માસ સુધી દુષ્કર્મ આચર્યુ અને તેને તેમજ માનસિક ત્રાસ પણ આપ્યો. ત્યારે આ અત્યાચારનો ભોગ બનેલી પીડિતાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. પીડિતાએ દુબઈમાં ગાળેલા 15 દિવસ તથા એ પછી નડિયાદ પરત આવ્યા બાદ ચાર મહિના સુધી વેઠેલી યાતનાઓ વિશે કાળજુ કંપાવી દે એવી હકીકતો રજૂ કરી હતી. યુવતિએ કહ્યુું કે, તેણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 2020ના નવેમ્બર માસમાં તેને ફેસબુક પર યાસર પઠાણની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી પરંતુ તેણે એક્સેપ્ટ કરી ન હતી.

જે બાદ જયારે તે એક દિવસ તેની માતાને જૉબ પર મૂકીને પરત આવી ત્યારે એક છોકરો તેને મળવા આવ્યો અને તેણે કહ્યું કે ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર એ જ છું. એ પછી તે જતો રહ્યો. બાદમાં તે યુવતિને એકલામાં મળવાની કોશિશ કરતો અને તેનો પીછો પણ કરતો. જે બાદમાં તેણે પીડિતાનો નંબર લીધો અને બંને એકબીજા સાથે પછી ફોન પર વાતો કરવા લાગ્યા, ઉલ્લેખની છે કે, તે છોકરાએ પોતાની ઓળખ વણકર જ્ઞાતિનો હોવાની આપી હતી. પીડિતાએ વધુમાં જણાવ્યુ  કે, યાસરે તેને કહ્યું કે એ મારી સાથે લગ્ન કરશે અને અમે ભારત છોડી વિદેશમાં રહીશું.

બાદમાં તેણે યુવતિની ઈચ્છા વિરુદ્ધ એકથી વધુ વખત જાતીય સંબંધો પણ બાંધ્યા હતા. પોલેન્ડ જવા માટેના વિઝાના નામે તેણે 5 લાખ રૂપિયા માગ્યા હતા. તે પોલેન્ડ જવાની છું એવું યુવતિના માતા-પિતા માનતા હોવાથી જય કદમે પોલેન્ડનો બનાવટી વિઝા બનાવી આપ્યો હતો જે યુવતિએ તેના માતા-પિતાને બતાવ્યો હતો. તેના માતા-પિતાએ ઘરેણાં ગીરવે મૂકીને પોલેન્ડ જવા માટે રકમ આપી હતી. બાદમાં યાસરે આપણે દુબઈ જઈએ ત્યાં હું કમાઈને વધુ પૈસા ભેગા કરીશ એમ કહીને દુબઈ જવાની વાત કરી. ત્યારે વર્ષ 2021માં 10 ઓક્ટોબરે તેણે યુવતિની દુબઈની ટિકિટ કરાવી અને તેને એકલી મોકલી હતી.

આગળ તેણે જણાવ્યુ કે, અમદાવાદ એરપોર્ટ પર જય કદમ તેને મૂકવા ગયો હતો અને પરાગ રાજપૂત નામના એજન્ટે દુબઈ એરપોર્ટથી શારજહાના અરમાન સ્થિત અલ-મલીકા હોટલમાં પીડિતાને સ્ટે આપાવ્યો હતો. હોટેલ પહોંચ્યા પછી પહેલા તે ડરી ગઈ હતી. .પીડિત યુવતિએ કહ્યુ કે, મારું 2 જ દિવસનું બુકિંગ હોવાથી રિસેપ્શન પરથી મને રૂમ ખાલી કરવા ફોન આવ્યો હતો. જેથી મેં એજન્ટ પરાગને ફોન કરી અન્ય સ્થળ પર રહેવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. પરંતુ પરાગે મને જણાવ્યુ હતુ કે તમારા એજન્ટે જે રૂપિયા આપ્યા હતા, તે પૂરા થઈ ગયા છે.

નાછૂટકે મેં પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા તે ડરી ગયો અને શારજહાના યજમાન કરામા સ્થિત એક મુસ્લિમ પરિવારને ત્યાં લઈ ગયો હતો. જ્યાં હું 7 દિવસ મુસ્લિમ પરિવાર સાથે રહીં. મને ત્યાં જરાય ગમતું ન હતું, પરંતુ યાસરે થોડોક સમય વિતાવી લે, તેમ કહેતાં ગમે તેમ કરી દિવસ વિતાવ્યાં હતા. હું દુબઈ આવી હતી પણ માતા-પિતા એવું માનતા કે હું પોલેન્ડ છું.’ પીડિતા આગળ જણાવે છે કે, ‘મારા પિતા મારી દરેક વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતાં હતા. દુબઈમાં વોટ્સએપ પર વીડિયો કોલિંગ ન થતું હોવાને કારણે તે ઓડિયો કોલ પર જ વાત કરતી હતી. નડિયાદ આવી ગયા બાદ પણ જ્યારે ફોન આવે ત્યારે તે એવું જ કહેતી કે તે સારી છે અને તેને ફાવે છે. યુવતિએ કહ્યુ કે, હું મજામાં છું એમ કહીને વાત ટૂંકાવી દેતી. જેથી પરિવારજનોને કયારેય આવી હકીકતની ખબર પડી જ ન હતી.’

પીડિતા 5 નવેમ્બર 2021ના રોજ ભારત પરત આવી ત્યારે યાસર અને તેના પિતા જાબીરે મને રણમુક્તેશ્વર મહાદેવી મંદિર પાસે એક ભાડાના મકાનમાં રાખી હતી. ભાડાના મકાનમાં હું તમામ ઘરકામ કરતી અને યાસરને ખુશ રાખવાનો પ્રયાસ કરતી. પરંતુ ધીરે ધીરે યાસર અને તેના પરિવારની યાતનાઓ શરૂ થઈ. તે લોકોએ આ યુવતિને જબરદસ્તી બુરખો પહેરાવી અને ઘરમાં ગોંધી રાખતા હતા. તે ઘરની બહાર જાય તો બહારથી તાળુ મારીને જતો હતો. યાસર મને ધર્મ અને જ્ઞાતિવાચક ગાળો બોલતો. ગુસ્સામાં તે યુવતિ સાથે બિનકુદરતી સંબંધ બાંધી પીડા આપતો હતો.’

તેણે વધુમાં જણાવ્યુ કે, યાસરના પિતા જાબીરખાન અને ભાઈ ફૈઝલે વારાફરથી ઘરે આવવાનું શરૂ કર્યું હતું. તે જે રીતે મારી સાથે વાત કરતા અને મારા શરીરને અડકવાનો પ્રયાસ કરતા તેને લઈ એક સ્ત્રી તરીકે હું તેમની માનસિકતા સમજી ગઈ હતી. જાબીરખાને મારી સાથે હાથ પકડી જબરદસ્તી ગુપ્ત ભાગે અડવાનો પ્રયાસ કરતાં મે જોર જોરથી બૂમો પાડતાં તેઓ ઘરમાંથી ભાગી ગયા હતા. તેણે કહ્યુ કે, યાસરની હવસની ભૂખને કારણે તે તેને પીરીયડના સમયમાં પણ બળજબરી કરી શરીર સંબંધ બાંધતો. તેને પ્રેગ્નેંસી પણ રહીં હતી. જેની વાત તેણે યાસરને કરી અને તે બાદ તેણે યુવતિને ગર્ભપાતની ગોળી આપી હતી.

જે બાદ તેની માતા મને હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યા મારું નામ આયાતબાનુ તરીકે નોંધાવ્યું હતું. જ્યાં તપાસ બાદ પ્રેગ્નેન્સી નહીં હોવાનું જણાવ્યું હતું.’ તેણે વધુમાં જણાવ્યુ કે, ‘એ પછી 25 ફેબ્રુઆરીના રોજ યાસર અચાનક ગુમ થઈ ગયો. જે બાબતે મેં તેના પિતાને ફોન કરી પૂછતાં તેમણે કહ્યુ કે ધીરજ રાખ આવી જશે. પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ તેમણે મને નોટીસ બતાવીને કહ્યું કે અમારે હવે યાસર સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે તે તારો પતિ છે, તો તું જાતે તેને શોધી લે. એ પછી હું યાસર ગુમ થયાની ફરિયાદ નોંધાવવા નડિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચી હતી.’

તેણે કહ્યુ કે, યાસરના ગુમ થયા બાદ તે એકાદ સપ્તાહ જેવું એકલી પણ રહી હતી. તેના પરિવાર દ્વારા ઘણા અત્યાચાર ગુજારવામાં આવ્યા. હું ભોળાનાથની ભક્ત હોવાથી મારી પાસેનો ભોળાનાથનો ફોટો હતો, એ પણ તેમણે ફાડી નાખ્યો હતો. તેઓ મને બળજબરીપૂર્વક બુરખો પહેરાવતાં, નમાજ-કલમા પઢાવતાં. યાસરના ટેન્શનમાં હું એક સપ્તાહ જમી પણ ન હતી. યાસર ગૂમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ જ્યારે હું તેના ઘરે ગઈ ત્યારે તેના પરિવારે મને ઘરમાં ઘૂસવા દીધી ન હતી. મને ખૂબ જ ગાળો બોલ્યા જે બાદ હું ઘણી જ રડી અને તે બાદ મારાથી સહન ન થતાં મેં પાણી માંગતા તેના ઘરવાળાઓએ ઉપરથી ડોલ લબડાવી મને પાણી આપી બેઆબરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આખરે મેં હિંમત ભેગી કરી પોલીસમાં ફરિયાદનો સહારો લીધો હતો.’ હાલ તો પોલીસે ફરિયાદ બાદ પ્રથમ દિવસે જ યાસરના પરિવારના 7 સભ્યો અને પોલેન્ડના વિઝાની ફોટો કોપી બનાવનાર યુવક મળી કુલ 8ની ધરપકડ કરી જેલભેગા કરી દીધા હતા. જોકે મુખ્ય આરોપી યાસરખાન પઠાણ ફરાર હોઈ તેને ઝડપી પાડવા માટે પોલીસે 2 ટીમો બનાવી છે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Live 247 Media

disabled