છેલ્લા એક મહિનામાં વંદે ભારત ટ્રેનની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. વંદે ભારત ટ્રેનને એક પછી એક અકસ્માત નડવાની ઘટનાઓ સામે આવી રહી છે, હાલમાં જ વંદે ભારત ટ્રેનને વલસાડમાં ગાય સાથે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને ગાય સાથે આ અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનને નુકશાન થયું હોવાનું માહિતી સામે આવી રહી છે.
આ ઘટનાને લઈને રેલવે વિભાગના કર્મચારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ ક્ષત્રીગ્રસ્ત થયો હતો. એન્જીનના ભાગે પણ નુકશાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ ટ્રેન આજે સવારે મુંબઈ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ રેલવેના કર્મચારીઓ પણ તાબડતોબ ઘરના સ્થળે દોડી આવ્યા હતા.
આ મહિનામાં જ ગત 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વળવા વચ્ચેના રૂટમાં વંદે ભારત ટ્રેન સાથે ચાર ભેંસ અથડાઈ હતી અને તેના કારણે ટ્રેનના આગળના ભાગે નુકશાન થયું થયુ. આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ પણ આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ મુંબઈથી ગાંધીનગર વચ્ચે દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ત્યારે ટ્રેન શરૂ થયાના એક મહિનામાં જ ટ્રેનને આ ત્રીજીવાર અકસ્માત નડ્યો છે. અને ત્રણેય અકસ્માત રખડતા ઢોરના કારણે જ થયા છે. ગુજરાતની અંદર રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જોવા મળી રહ્યો છે