13 વર્ષ બાદ ઘરે પરત ફર્યો પતિ, પરંતુ ત્યાં સુધી પત્ની કરી ચૂકી હતી દિયર સાથે લગ્ન- પછી કર્યુ એવું કે... - Chel Chabilo Gujrati

13 વર્ષ બાદ ઘરે પરત ફર્યો પતિ, પરંતુ ત્યાં સુધી પત્ની કરી ચૂકી હતી દિયર સાથે લગ્ન- પછી કર્યુ એવું કે…

પૈસા કમાવવા ગયો હતો પતિ, 13 વર્ષ બાદ પાછો આવ્યો તો પત્નીએ દિયર સાથે કરી લીધા હતા લગ્ન, પછી થયુ એવું કે…

એક વ્યક્તિ કામની શોધમાં હૈદરાબાદ ગયો અને તેણે તેના પરિવારના સભ્યોના કોઈ સારા-ખોટા સમાચાર લીધા નહીં. પરંતુ જ્યારે તે 13 વર્ષ બાદ પોતાના ઘરે પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે પરિવારે તેને મૃત માની લીધો છે. એટલું જ નહીં, ઘરવાળાએ તેની પત્નીને તેના નાના ભાઈ સાથે પરણાવી દીધી, જેનાથી તેને એક પુત્ર પણ છે. આ વાતની જાણ થતાં યુવક ડિપ્રેશનમાં ગયો હતો. આ મામલો ગોરખપુર જિલ્લાના બૈલોન ગામનો છે. ગામના રહેવાસી સંત કુમારે હૈદરાબાદ ગયા પછી પરિવારના સભ્યો સાથે સંબંધો તોડી નાખ્યા.

પ્રતિકાત્મક તસવીર

આ દરમિયાન સંત કુમારે ઘરમાં હાજર તેની પત્ની સહિત પરિવારના કોઈ પણ સમાચાર લીધા ન હતા. 13 વર્ષ સુધી કોઈનો સંપર્ક કર્યો ન હતો. પરેશાન સ્વજનોએ શોધખોળ કરી પણ કંઈ મળ્યું નહીં.આઠ વર્ષ રાહ જોયા બાદ સગાસંબંધીઓએ સંત કુમાર મૃત હોવાનું માની લીધું. જે બાદ પરિવારે 2021માં સંત કુમારની પત્નીના દિયર રામુ સાથે લગ્ન કરાવી દીધા. જેનાથી તેને ત્રણ વર્ષનો પુત્ર છે. હવે જ્યારે સંત કુમાર પોતાના ઘરે પરત ફર્યો ત્યારે તેણે તેની પત્નીના લગ્ન નાના ભાઈ સાથે થયાની ખબર પડી. જે બાદ તે ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

તે બાદ સાંજે ચાર વાગ્યાના અરસામાં સંબંધીઓ ખેતર તરફ ગયા. ઘરમાં હાજર સંત પ્રસાદે તેની પત્નીની સાડીનો ફાંસો બનાવી ખાઈ લીધો હતો. ઘરે પહોંચ્યા પછી, સંબંધીઓને આ વિશે ખબર પડી, ત્યારબાદ તેમને જણાવ્યું. જ્યારે સંત પ્રસાદ રોજગારની શોધમાં હૈદરાબાદ ગયા, ત્યારે નાનો ભાઈ રામુ 12 વર્ષનો હતો. એક વર્ષ સુધી ઘરે પરત ન ફરતાં સગાસંબંધીઓએ હૈદરાબાદમાં રહેતા પરિચિતોને જણાવ્યું હતું. તેમની મદદથી શોધખોળ કરી પરંતુ તે મળ્યો ન હતો.

Live 247 Media

disabled