ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવે છે. અવાર નવાર મહિલાઓ અને યુવતિ સાથે દુષ્કર્મ આચરી કેટલાક નરાધમો દ્વારા પોતાની હવસ સંતોષવામાં આવતી હોય છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો જેમાં એક પરણિતાને તેના પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી એક નરાધમે સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી 32 વર્ષની પરિણીતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિની ગેરહાજરીમાં આવી દુષ્કર્મ કરતા યુવાને અઢી મહિના પહેલા જ ફરી આવી માર મારી દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે આખરે કંટાળી પરિણીતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલિસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
પરણિતા મૂળ ઉત્તરપ્રદેશની છે અને સુરતમાં લિંબાયત વિસ્તારમાં તે ત્રણ બાળકો અને પતિ સાથે રહે છે. તેના પતિ બેકરીના સામાનના વેપારી છે. તેમના મકાનના ત્રીજા માળે ભાડેથી રહેતા મોહમદ સૈયદ સીદ્દીકીએ સાત વર્ષ પહેલા મિત્રતા કરી હતી અને થોડી મુલાકાત બાદ સલમાને કહ્યું હતું કે તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો હું તારા પતિ અને છોકરાઓને જાનથી મારી નાખીશ. પરણિતાના પતિની ગેરહાજરીમાં તેનું જાતીય શોષણ કરતો હતો.
તે ધમકી આપતો કે જો તું કોઈને કહીશ તો તને પણ જાનથી મારી નાંખીશ. આવું સાત વર્ષ સુધી ચાલ્યુ. પતિ વતનમાં લગ્નમાં હાજરી આપવા માટે ગયો ત્યારે અઢી મહિના પહેલા મોહમદ સૈયદ સીદ્દીકી તેના ઘરે આવ્યો હતો અને શરીર સંબંધ બાંધવા માંગણી કરી. પણિતાએ ના પાડી તો તો તેને માર મારી તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું અને ફરાર થઈ ગયો. તેના ત્રાસથી કંટાળીને આખરે પરણિતાએ ગત 16 મેના રોજ તેના વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે પોલીસે ગતરોજ જ મજૂરીકામ કરતા 32 વર્ષીય મોહમદ સૈયદ મોહમદ જાવીદ સીદ્દીકીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આગળની તપાસ શરૂ કરી છે.