ભગવાન આ શું ચાલી રહ્યું છે, જામનગરમાં માસુમ 14 વર્ષની બાળકીએ શિક્ષિકને લીધે કરી આત્મહત્યા, દર્દનાક કારણ છે - Chel Chabilo Gujrati

ભગવાન આ શું ચાલી રહ્યું છે, જામનગરમાં માસુમ 14 વર્ષની બાળકીએ શિક્ષિકને લીધે કરી આત્મહત્યા, દર્દનાક કારણ છે

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી આપઘાતના મામલાઓ સતત વધી રહ્યા છે. ઘણીવાર લોકો માનસિક કે શારીરિક ત્રાસને કારણે તો ઘણીવાર પ્રેમ સંબંધ કે આર્થિક પરેશાનીઓને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 14 વર્ષિય સગીર વિદ્યાર્થીનીએ નાની અમથી વાતને લઇને માઠુ લાગી આવતા આપઘાત જેવું પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યુ છે.  જામનગરમાંથી આ આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ધ્રોલના ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે.

વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી, આ ઘટનાને લઇને ભારે ચકચાર મચી જવા પામી છે. જામનગરના મૂળ લાલપુરના મેઘપર પડાણા ગામની વતની અને હાલ ધ્રોલ નજીક ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી 14 વર્ષીય મહેશ્વરીબા જાડેજાએ પોતાના જ રૂમમાં પંખામાં દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને લઈને વિદ્યા સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અહીં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ સનસનાટી મચી ગઈ હતી. જો કે, આ વાતની જાણ મૃતકના વાલીને કરવામાં આવતા તે તુંરત જ વિદ્યાસંકુલ પહોંચી ગયા હતા અને આ મામલે ધ્રોલ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલિસને જાણ થતા જ ધ્રોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જે બાદ મૃતક મહેશ્વરીબાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તો વિદ્યાર્થીનીને શિક્ષકે જે હોમવર્ક આપ્યું તે પૂર્ણ કર્યું

ન હોવાથી ઠપકો મળતાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. જો કે, દીકરાના મોતથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઇ છે. ફરિયાદ બાદ ધ્રોલ પોલીસે શિક્ષકો અને શાળા સંચાલકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. જો કે, મૃતક વિદ્યાર્થિનીના પરિવારના આરોપ છે કે, શિક્ષક, ટ્રસ્ટી સતત તેને ટોર્ચરિંગ કરી રહ્યા હતા અને તેને લઇને તેણે અંતિમ પગલું ભર્યું છે. હાલમાં પોલીસે શિક્ષક અને ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ તેજ કરી છે.

Live 247 Media

disabled